પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ગુજરાત પ્રદેશ ની કાર્ય સમિતિ ની બેઠક યોજાઈ
તારીખ ૨૩-૧૨-૨૦૨૩ થી ૨૫-૧૨-૨૦૨૩ ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ગુજરાત પ્રદેશ ની કાર્ય સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક નું દીપ પ્રાગટ્ય જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ બેઠક માં પૂજ્ય ભયલુબાપુ ની પ્રેરક ઉપસ્થિતિ રહેલ તેમજ
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ.લક્ષ્મણભાઈ ભૂતડીયા,મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ,સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા,ઉત્તર પશ્ચિમ ક્ષેત્રીય સંગઠન મંત્રી અશ્વિનીજી શર્મા તેમજ વિશેષ આમંત્રિત સદસ્ય ડૉ.છગનભાઈ પટેલ (રાષ્ટ્રીય કારોબારી) આ બેઠક માં ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદશન પૂરું પાડેલ
અને ગુજરાત રાજ્ય ના અલગ અલગ જીલ્લાના ABVP વિદ્યાર્થી કાર્યકર્તાઓ ખૂબજ રાજીપો વ્યક્ત કર્યો અને જગ્યાની વ્યવસ્થા , ચોખ્ખાઈ જોઈ ને ખુબ પ્રભાવિત થયા