વિજયનગર ખાતે નાણાકીય વિષય પર એક દિવસીય કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) ના સંયુક્ત ઉપક્રમે સ્વસહાય જુથ,ગ્રામ સંગઠન અને ક્લસ્ટર લેવલ ફેડરેશનના લીડરો સાથે નાણાકીય વિષય પર એક દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાણાકીય સમાવેશ,અવરનેસ અને બેંક ધિરાણ (કેશ ક્રેડીટ) બાબતે વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એ જી એમ શ્રી ભૂપેન્દ્ર ત્રિપાઠી, એલડીએમશ્રી સંજય ચૌધરી, ડીડીએમ શ્રી મનોજ અગ્રવાલ,એફએલસી શ્રી રાજેશ સુથાર, એટીડીઓ શ્રી ભાર્ગવ સિન્હા,ડીએલએમ શ્રીમતી મિન્નત મન્સૂરી, એપીએમશ્રી સુનિલ પટેલ તેમજ સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 144619
Views Today : 