>
Sunday, December 7, 2025

અરવલ્લી ના ભિલોડા ખાતે ગુજરાત પ્રદેશ દ્વારા વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ ભવ્ય આયોજન કરાયું હતું 

અરવલ્લી ના ભિલોડા ખાતે ગુજરાત પ્રદેશ દ્વારા વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ ભવ્ય આયોજન કરાયું હતું

 

શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા દર 2 વર્ષે વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ આયોજન અલગ અલગ જિલ્લા માં કરે છે જેનાં ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે વ્યસન મુક્તિ રેલી નુ પ્રસ્થાન પ્રેરણા સ્કુલ પરથી કરવામાં આવ્યું તથા વનયાત્રા સમાપન સમારોહ નુ શ્રી રામ કુમાર છાત્રાલય ભિલોડા ખાતે રાખવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કોઈપણ પ્રકારના ના વ્યસનો થી દુર રહેવા નો સંકલ્પ કર્યો હતો અને વ્યસન મુક્તિ અભિયાન માં હજારો લોકો વ્યસન મુક્ત કરવા માટે ની રેલી યોજાઈ હતી જેમાં ભિલોડા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય પી સી બરંડા ,ગુજરાત પ્રદેશ ના મંત્રી જયંતિભાઇ પટેલ સંગઠન મંત્રી ચન્દ્રકાંભાઈ રાવલાણી ગાયત્રી બેન વ્યાસ અરવલ્લી જિલ્લા મંત્રી મનીષભાઈ પટેલ શંકરભાઈ કલાસવા મુકેશભાઈ મહેતા રામપાલ લઢા રમેશભાઈ ચૌધરી નરેન્દ્રભાઈ ચૌહાણ તથા ભિલોડા નગર ના દરેક કાર્યકર્તા ભાઈઓ અને દરેક સમાજ નાં ભાઈ બહેનો વનયાત્રા મા સામેલ ગુજરાત ના 

વલસાડ, ડાંગ , સુરત થી લઇ બનાસકાંઠા સુધી અંબાજી થી લઇ ને ઉમરગામ સુધીનાં દરેક જિલ્લા ના ભાઈઓ બહેનો ઉપસ્થિતિ રહ્યા અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મહેનત કરી ભિલોડા એકમ દ્વારા ભવ્ય આયોજન નું સફળ બનાવવા માટે મહેનત કરી સફળ બનાવ્યો હતો

 

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores