ભરૂચ:-અંકલેશ્વર
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલી ઝાયડસ લાઈફ સાયન્સ લિમિટેડ યુનિટ વન કંપનીમાં આગની ઘટના બની….
ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીના યુનિટ એકમાં આગ લાગતા કામદારોમાં નાશ ભાગ મચી જવા પામી હતી….
કંપનીમાં આવેલ સીપી 9 નામના પ્લાન્ટમાં આગ લાગી હોવાનું માહિતી મળી રહી છે…
આગની ઘટનાની જાણ થતા જ ફાયર ની ટીમો ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી….
આ ઘટનાના પગલે જીપીસીબી અને અંકલેશ્વરના મામલતદાર સહિત પોલીસના અધિકારીઓ કંપની ઉપર દોડી આવ્યા હતા
આ આગની ઘટનામાં હજી સુધી જાનહાનિ ના કોઈ સમાચાર સામે આવ્યા નથી
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891