તાપી જિલ્લા સોનગઢ તાલુકા ઉકાઈ પાથરડા કોલોની માં આવેલ સાંઈબાબા મંદિરનું 14 મો પાઠ ઉત્સવ ઉજવવામાં આવ્યો.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
ઉકાઈ પાથરડા કોલોની સાઈબાબાના મંદિરે 14 માં પોટા ઉત્સવ ની ઉજવાયો જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલા ભક્તોએ સાઈબાબાના મહાઆરતી અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો.ઉકાઈ સ્થિત સાંઈબાબા મંદિર 14 મો પાઠોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં સવારે સાંઈબાબા ની પાલખી લઇ આખા ઉકાઈ વિસ્તારમાં પાલખી ફરી હતી, અને સાંજે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 8000 જેટલા ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
આ સાથે ઉકાઈ સાઈબાબા મંદિરનો સમગ્ર વાતાવરણ સાંઈબાબા કી જય ના નામથી ગુંજી ઉઠ્યું હતું.