>
Friday, May 16, 2025

સુરતમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

સુરતમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

 

જવાબદાર કોણ શિક્ષક કે સંસ્થા?

 

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)

આ બનાવની વિગત એવી છે કે સુરત ના ગોડાદરા વિસ્તાર ની આદર્શ પબ્લિક સ્કુલ ની વિધાર્થીની સ્કૂલ ફી બાકી હોવાથી શિક્ષકો દ્વારા બાથરૂમ પાસે બે દિવસ ઉભા રાખવાની સજા સાથે પરિક્ષા માં ન બેસવા દેતા વિધાર્થીની ને ખોટું લાગી આવતા ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.ગુજરાત ની તમામ સ્કૂલો માં આ ફરીયાદ સામે આવી રહી છે કે સ્કુલ સંચાલક તથા શિક્ષકો દ્વારા વિધાર્થીઓ ને દબાણ કરવામાં આવે છે જેનાથી બાળક નું મનોબળ તુટી જતું હોય છે.અમારા એક ભારત ન્યુઝ ના માધ્યમ થી સ્કુલ સંચાલક મંડળ તથા શિક્ષકો ને જણાવવાનું કે દરેક પરિવાર ની પરિસ્થિતિ એક સરખી નથી હોતી બાળક તમારી સંસ્થા માં ભણતા હોય તો ફી આજે ન‌ઈ તો કાલે ભરવાના જ.તાપી જીલ્લામાં પણ ઘણી સંસ્થાઓ માં આ રીતે બાળકો ને દબાણ કરવામાં આવે છે જેથી બાળક નર્વસ થ‌ઈ જાય છે અને આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે.સરકાર શ્રી એ પણ એક નિયમ બનાવી પરિપત્ર જાહેર કરવો જોઈએ કે બાળક ના સત્ર દરમિયાન ગમે ત્યારે ફી ભરી શકશે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores