ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ વિદ્યાલય ખાતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો
સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે સૌ બાળકોને ચંદન તિલક કરી મોઢું મીઠું કરાવી સરકારી પ્રતિનિધિ મિલનકુમાર પટેલ અને શાળાના આચાર્યશ્રી અને સંવાહક સુરેશભાઇ પટેલ દ્વારા બાળકોને પ્રવેશ આપવામાં આવેલ. ધોરણ 10 માં 20 બ્લોક કુલ 600 દીકરા દીકરીઓ અને ધોરણ 12 સાયન્સ 14 બ્લોકમાં 420 દીકરા દીકરીઓને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવેલ
. સૌ બાળકોને તકલીફ ન પડે તે માટે પૂરતા પોલીસ બંદોબસ્ત તથા ઠંડા પાણીની વ્યવસ્થા અને મેડિકલની સુવિધા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 155362
Views Today : 