હિંમતનગર ના રામપુર પ્રાથમિક શાળામાં ગુરુ ઉપાસક કે.કે પટેલ ધ્વારા બાળકો ને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
હિંમતનગર તાલુકાના રામપુર (જાંબુડી) ખાતે ગુરુ ઉપાસક કે.કે પટેલ ધ્વારા રામપુર પ્રાથમિક શાળા ખાતે બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું રામપુર ગુહાઈ નદીના કીનારે આવેલા મહાદેવ મંદિર આવેલું છે જે ઓગડનાથ મહાદેવ ધામ તરીકે પ્રસિદ્ધ થયેલ છે સાથે સાથે આ નદી કિનારે ત્રણ સંતોની સમાધી પણ આવેલી છે આ દિવ્ય તપસ્વી જગ્યાએ પરમ પૂજ્ય શ્રી શ્રી કમલેશપુરીજી ની પ્રગટ સમાધી આવેલી છે આ દિવ્ય જગ્યા પર છેલ્લા 26 વર્ષ થી અખંડ જ્યોત નિરંતર ચાલુ છે આ દિવ્ય ભૂમી પર દર વર્ષે અષાઢી બીજ ના દિવસે ભવ્ય ભંડારા નું આયોજન થાય છે
જેમાં હિંમતનગર સહિત આજુબાજુના વિસ્તારના લોકો અષાઢી બીજે આ દિવ્ય ભૂમી અને પ્રગટ સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવે છે ગુરુ ઉપાસક કે.કે પટેલ દર ગુરૂવારે જાપ કરી ઉપાસના પણ કરે છે ગુરુ ઉપાસક કે.કે પટેલ બ્રહ્મચર્ય જીવન જીવી રહ્યા છે સાથે સાથે સામાજિક અને ધાર્મિક સેવા એમના ગુરુ કમલેશપુરી ની યાદ માં આવી અનેક સેવાઓ કરી રહ્યા છે.





Total Users : 147144
Views Today : 