Monday, April 7, 2025

શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડબ્રહ્મા દ્વારા 29 મો એકલીગજી દાદા નો પાટોત્સવ યોજાયો

શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડબ્રહ્મા દ્વારા 29 મો એકલીગજી દાદા નો પાટોત્સવ યોજાયો.

 

આજે ખેડબ્રહ્મા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં તારીખ ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડબ્રહ્મા દ્વારા પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને આ પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

 

આ પાટોત્સવના યજમાન રમાબેન ભરતકુમાર સંપત હાલ રહેવાસી મુંબઈ દ્વારા લઘુરુદ્ર તેમજ મહાપ્રસાદ તથા બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તે જ દિવસે સાંજે યજમાન કનુભાઈ મહાશંકર જોશી ગલોડીયા વાળા દ્વારા પણ મહાપ્રસાદ અને બાળકોને ઇનામ આપવાની ઘોષણા કરવામાં આવી તારીખ ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ શ્રી ભટ્ટમેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ ખેડબ્રહ્મા દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યો દ્વારા અને ખેડબ્રહ્મા તાલુકાના સમાજના તમામ લોકો હાજર રહી એકલિંગજી દાદા ના પાટોત્સવની ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ભટ્ટ મેવાડા સમાજના આગેવાનો તેમજ વડીલો બાળકો અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાટોત્સવના સમાપન વખતે ભંડારાના બંને યજમાનોને ભટ્ટ મેવાડા સમાજ ટ્રસ્ટ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

 

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores