>
Friday, May 16, 2025

નવાબંદર મરીન પો.સ્ટે.ના સૈયદ રાજપરા ખાતે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદામાલ રીકવર કરતી એલ.સી.બી.ગીર સોમનાથ

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ નાઓએ આ અનડીટેકટ હોય ઘરફોડ ચોરીના આરોપી પકડી પાડી અનડીટેકટ ગુન્હો શોધી કાઢવા સુચના આપેલ,

જે અનુસંધાને એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ.એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ.એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. રાજુભાઇ ગઢીયા, કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી નાઓને મળેલ સંયુકત રીતે બાતમી આધારે નીચે જણાવેલ નામવાળા ઇસમોને ઉપરોકત ગુનાના કામે ચોરી થયેલ મુદામાલ સાથે પકડી પાડી સદર અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી ચોરીમાં ગયેલ રોકડ નાણા તથા સોના ચાંદીના દાગીના સહીત તમામ મુદામાલ આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવેલ છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores