ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના છેલ્લા બે માસથી ગુમ થનારને ઉત્તર પ્રદેશથી શોધી લાવવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી
નાયબ પોલીસ મહાન નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાના કોઈ ગુમ થનાર બાળકો તથા યુવક યુવતીઓને શોધી લાવવા માટે સૂચના આપેલ હતી જે અંતર્ગત શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન ના કોઈએ પોલીસના માણસોને અહીંના પોલીસ સ્ટેશનના જા.જોગ ના કામે ગુમ થનારને ઝડપથી શોધી લાવવા માટે સૂચના આપેલ હતી
જે આધારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના તારીખ 23 /2 /2025 ના રોજ દાખલ થયેલ અને આ જા. જોગના કામે ગુમ થનાર કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય જેની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ કરતા ગુમ થનાર ઉત્તર પ્રદેશના સહારાનપુરા ખાતે હોવાનું જણાય આવતા અહીંની ટીમના માણસો મોકલી તપાસ કરી ગુમ થનારને ઉત્તર પ્રદેશના સહારાનપુરા ખાતેથી શોધી કાઢવામાં સફળતા મળી
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 167868
Views Today : 