ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ મા સંતવાણી ડાયરો યોજાયો હતો જેમાં ભજનિક જગદીશ ગોસાઇ દેવરાજ રાઠોડ તથા જાહલબેન આહિર તથા લોકસાહિત્ય કલાકાર વિદુર આહિર એ રમઝટ બોલાવી હતી આ સંતવાણી કાર્યક્રમ મા ઉના તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ બાંભણિયા તથા કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ ના કુબાવત સાહેબ એ ખાસ હાજરી આપી હતી તથા સંત શ્રી નિલેશગિરી બાપુ હનુમાનજી મંદિર મહંત તથા ઉદાસીન તિર્થ ધામ શ્યામ કુંડ ના મહંત નિર્મળ દાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના ગૌ સેવકો દ્રારા સંતો મહંતો નુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું






Total Users : 152532
Views Today : 