થરાદ જિલ્લાની મહિલાઓ દ્વારા માતૃશક્તિ કાર્યક્રમ યોજાયો જેમાં મહિલા મોરચાના મહામંત્રી સોનલબેન પ્રજાપતિ તથા તાલુકા સંગઠન ઉપ પ્રમુખ શારદાબેન ભાટી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંથી અત્રીબેન માળી ઉપસ્થિત રહ્યા હતા. થરાદ જિલ્લાની મહિલાઓ દ્વારા માતૃશક્તિ કાર્યક્રમ યોજાયો જેમાં ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓનો સફાયો બોલાયો જેના અનુસંધાને થરાદ શહેરની સમગ્ર મહિલાઓ દ્વારા તારીખ 15 મે ના રોજ શહેરના આનંદ નગર સોસાયટી થી લઈ અને શ્રીરામ મંદિર સુધી બે કિલોમીટર સુધીની લાંબી રેલી કાઢી અને ભારત માતાકી જય ના નારા સાથે મહિલાઓએ આપણી ભારતીય સેનાની શોર્ય અને ગાથા ને બિરદાવી સાથે સાથે આપણી ભારતીય સેનાની બંને મહિલા ફાઈટર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંગના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂર સફળ પાર પડ્યું અને કેટલાય આતંકવાદીઓ નો તેમાં સફાયો બોલાયો અને આપણી બે મહિલા ફાઈટર ઓ સુરક્ષિત રીતે આ ઓપરેશન સિંદૂર પાર પાડી અને ભારત પરત ફરી એમની આ ગાથા ને ભારત ક્યારેય ભૂલશે નહીં
. આ અનુસંધાને થરાદ જિલ્લાની સમગ્ર મહિલાઓ સાથે મળી અને રાષ્ટ્ર માટે બલિદાન ની ભાવના પ્રગટ કરી હતી. આ પ્રસંગે સમગ્ર રેલી શ્રી રામ મંદિર પાસે આવતા શ્રીરામ સેવકો તથા શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશ સિંહ વી રાજપુત દ્વારા મહિલા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પ્રસંગે પ્રમુખ શ્રી જેમીન ભાઈ પ્રજાપતિ મહામંત્રી પ્રતાપભાઈ સોની અને હિતેશભાઈ વાણીયા દ્વારા સમગ્ર મહિલાઓને શરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. એક ભારત ન્યુઝ પ્રદીપ ત્રિવેદી થરાદ
થરાદ જિલ્લાની મહિલાઓ દ્વારા માતૃશક્તિ કાર્યક્રમ યોજાયો
અન્ય સમાચાર