પ્રાંતિજના મેમદપુર ખાતે કૃષિસખી બહેનોએ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી
સાબરકાંઠા જિલ્લામાં તલોદ કપાસ સંશોધન કેન્દ્ર તથા પ્રાંતિજના મેમદપુરના વિષ્ણુભાઈના મોડલ ફાર્મ ખાતે કૃષિસખી બહેનો તેમજ સીઆરપી ભાઈઓએ પ્રાકૃતિક પ્રત્યક્ષ મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. જ્યાં ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી વિષય ઉપર માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીની માનવ જીવનમાં અગત્યતા અને દેશી ગાયથી ખેતી થકી માનવ સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદાઓ વિષે ખેડૂતોને માહિતી આપી હતી ખેડૂતોએ પોતાના ઘર પુરતી શાકભાજી અને ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી કરવાની બાહેંધરી આપી હતી.
તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891