સ્વચ્છ ભારત અભિયાન મિશન ના ધજીયા ઉડે છે દેલવાડા ગામે……
ઉના તાલુકા ના દેલવાડા ગામે ભારત સરકાર દ્વારા સ્વચ્છત ભારત મિસન પ્રોગ્રામ હેઠળ ગામ ની વસ્તી ના ધોરણે સ્વચ્છતા ગ્રાન્ટ દર મહિને ફાળવવામાં આવે છે જેથી કરીને ને પંચાયત દ્રારા ગામ મા રોજિંદી સફાઇ કરી શકાય પરંતુ પંચાયત દ્રારા ગામ ના ચોક્કસ વિસ્તારોમાં જ સફાઇ કરવામાં આવે છે એવો ઘાટ સર્જાયો છે
દેલવાડા ગામે ઉના ઝાંપા ના ગોદરા ચોક ખાતે થી આંબા વાડી વિસ્તાર માં આવેલા મુસ્લિમ સમાજ ના આસ્થા ના પ્રતિક એવા લીલાપિર ની દરગાહ તરફ જવાનો રસ્તો છે
આ રસ્તે થી અનેક મુસ્લિમ બિરાદરો રોજીંદા લીલાપીર ની દરગાહ પર જતા આવતા હોય છે પરંતુ આ રસ્તે એટલી ગંદકી છે કે પગે ચાલીને જવું પણ મુશ્કેલ છે
જ્યારે સવાલ એ થાય છે કે શું આ રસ્તે થયેલી ગંદકી પંચાયત સતાધીશો ને દેખાતી નથી કે પછી જાણી જોઈને આ રસ્તે સફાઇ કરવામાં આવતી નથી આમ આ ગોદરા ચોક થી લીલાપીર તરફ જતા રસ્તા પર વહેલી તકે સફાઇ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ. રમેશભાઇ વંશ ઉના