ઉના તાલુકા નુ દેલવાડા ગામ એટલે ઝાપા બંધ ગામ પૌરાણિક દરવાજા થી શોભતું ગામ…..
ઉના તાલુકાના દેલવાડા ગામે ગામ ફરતો કિલ્લો આવેલો છે અને કુલ 3 દરવાજા હતા જેમાં અંજાર દરવાજો દિવ દરવાજો અને ઉના દરવાજો આમ કુલ 3 દરવાજા હતા ગામ માં પ્રવેશ દ્રાર તરીકે ઉપયોગ કરાતો દેલવાડા ગામ મંદિરો નુ ગામ પણ કહેવાય છે દેલવાડા ગામ ની અંદર અનેક દેવી દેવતા ના શિખર બંધ મંદિરો આવેલા છે આ ગામમાં 3 દરવાજા પૈકી હાલ મા 2 દરવાજા અડિખમ ઉભા છે જ્યારે ઉના દરવાજો વરસો પહેલાં પડિ ગયો હતો ત્યાં બે શિખરો અને એક રુમ એ વખતના શાસકો એ બનાવેલા અને નજીક માં પોલીસ સ્ટેશન પણ બનેલ સમય જતાં લોકશાહી આવી પોલીસ પટેલ ની પ્રથા નાબુદ કરવામાં આવી ત્યાર બાદ આ પોલીસ સ્ટેશન ને આઉટ પોસ્ટ પોલીસ મા ફેરવી એક એ.એસ.આઇ.હેડ.કોસ્ટેબલ તથા 3 કોન્સ્ટેબલ સાથે કાર્યરત કરવામાં આવેલ અને શાશકો એ બનાવેલ રુમ નો ઉપયોગ સને 1966 થી પંચાયત દ્રારા જકાત નાકા તરીકે કરવામાં આવતો પછી સરકાર એ આ જકાત પ્રથા નાબુદ કરતા પંચાયત દ્રારા આ બંધ રુમ શ્રી દેલવાડા કપોળ મહાજન ને સોંપવામાં આવેલ અને ત્યાર થી હાલ ના સમય સુધી શ્રી દેલવાડા કપોળ મહાજન આ રુમ નો ઉપયોગ ગાય ના ગોંદરે નાખવા મા આવતા ઘાસચારો ભરવા માટે ઉપયોગ કરવામાં આવતો અને અગિયારસ પુનમ અમાસ કે વાર તહેવારે આ રુમ માંથી ઘાસચારો ગાય ને ગોંદરે નિરવા મા આવતુ
જેમાં જેમ સમય વીતતો ગયો તેમ આ દરવાજા નજીક ના પોલીસ સ્ટેશન તથા પોલીસ લાઇન જર્જરિત હાલતમાં ફેરવાઈ ગ્યું પછી લગત સરકારી વિભાગ દ્વારા આ પોલીસ સ્ટેશન તથા પોલીસ લાઇન ની ઇમારત જાહેર હરાજી કરી ડિમોલેશન કરવામાં આવી પરંતુ દરવાજા પાસે નો ઘાસચારો ભરવા માટે નો રુમ અડિખમ ઉભો હતો અનેક કુદરતી આફત આવી જેવી કે 1982 નુ વાવાઝોડું સને 2001 નો ભુકંપ અને છેલ્લે તૌકતે વાવાઝોડું ફૂંકાયું ત્યારે પણ આ ગાય માતાજી ના ઘાસચારો ભરવા માટે નો રુમ અડિખમ ઉભો હતો પરંતુ લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ જગ્યા એ સ્થાનિક પંચાયત દ્રારા ફરી એકવાર કલાત્મક દરવાજા નુ નિર્માણ કરવા નુ આયોજન હોય જેથી જુના શાશકો એ બનાવેલ પિલર તથા આ ઘાસચારો ભરવા માટે ના રુમ નુ ગત તારીખ 7/3/2025 ના રોજ ડિમોલેશન કરી તોડી પાડવામાં આવેલ છે
આ ઘાસચારો ભરવા માટે ના રુમ નુ તથા જુના શાશકો એ બનાવેલ પિલર ડિમોલેશન કરવામાં આવ્યું છે એને 3 માસ જેટલો સમય થયો હોવા છતાં સ્થાનિક પંચાયત દ્રારા અહિયાં નવો કલાત્મક દરવાજા નુ નિર્માણ કાર્ય નથી ચાલુ કરવામાં આવ્યું છે કે નથી એ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. હવે લોકો મા એવી ચર્ચા થાય છે કે જો સ્થાનિક પંચાયત દ્રારા અહિયાં કોઈ નવા કલાત્મક દરવાજા નુ નિર્માણ નતુ કરવા નુ તો પછી જુના શાશકો ની યાદગાર પિલર અને અડિખમ રુમ તોડી પાડવા નુ કારણ શું છે
આમ વગર કારણે કલાત્મક દરવાજા ની યાદ ગીરી રુપી પિલર તથા રુમ નુ તોડવુ કેટલા અંશે યોગ્ય છે હવે લોક માંગ ઉઠી છે કે આ પિલર ની જગ્યા એ સ્થાનિક પંચાયત દ્રારા કલાત્મક દરવાજા નુ નિર્માણ થાય એવી માંગણી પણ જનતા ની અંદરોઅંદર ની ચર્ચા મા જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના