ઉપલેટા…. જીલ્લો રાજકોટ
ઉત્તર પ્રદેશના બરેલી થી ભારત દેશના વિવિધ ધાર્મિક સ્થાનો પર દંડવત કરી સનાતન ધર્મ અને ગાય માતાની સુરક્ષા તેમજ માનવ ધર્મ અને સત્યની રાહે ચાલે તેવા ઉદ્દેશ્યથી લોકોને પ્રેરિત કરવા હજજારો કી. મી. ની યાત્રા શરૂ કરી
ઉત્તર પ્રદેશના બરેલીથી શિક્ષિત પરિવાર અને સ્કૂલ નાં મેનેજર નરેશ ગંગવાર તેમનાં પત્ની અને પુત્ર ને સાથે લઇ ભારત સહિત વિવિધ દેશમા દંડવત્ કરી લોકોને સત્યની પ્રેરણા આપવા ભારત દેશમાં આવેલ ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવત્ કરતાં કરતાં ઉપલેટામાં આગમન સનાતન ધર્મ અને ગૌ માતા ની સુરક્ષા અને ગૌ માતા ને રાષ્ટ્ર નો દરજ્જો મળી જાય તેવાં ઉદેશ્ય થી નિકળી રહયા છે :
યુ.પી.નાં બરેલી ના રહેવાસી એવાં નરેશ ગંગવાર ભારત દેશ માં સનાતન ધર્મ અને ગૌ માતા ની રક્ષા અને ગૌ માતા ને રાષ્ટ્ર હિતનો દરજ્જો મળી જાય તેવાં ઉદેશ્ય થી ભારત દેશનાં રાજ્ય માં આવેલાં ધાર્મિક સ્થળો તેમજ નેપાળ નાં પશુપતિનાથ સહિત દંડવત્ કરતાં કરતાં આવાં ધોમધખતા તાપમાં નિકળી રહયા હોય ત્યારે યુપી અને અન્ય રાજ્યો માં થી ગુજરાત રાજ્ય માં આવેલ ધાર્મિક સ્થળો પર દંડવત્ કરતાં કરતાં ઉપલેટા મુકામે પહોંચી આવ્યા છે ત્યારે દેશ હિત માટે જે જ્યોતિ જલાવી છે તેમજ તેમની પત્ની અને તેમનો પુત્ર પણ આ પિતા ની સાથે હરપળ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહયા છે કોઈ પણ પ્રકારની લોભ લાલચ વિના દેશ માં સનાતન ધર્મ અને ગૌ માતા ની સુરક્ષા અને સત્ય માટે અને માનવતા ની જગ્યાએ દાનવતા નો માર્ગ પર ચાલી રહયા છે તેને સદ્બુદ્ધિ અર્પણ કરવામાં આવેલ તેવાં ઉદેશ્ય અને દેશ ભક્તિ નો ભેખ ધારણ કરી ને દંડવત કરતાં આશરે 6000 કિલોમીટર જેટલો 25 મહિના જેટલો સમય વિતી ગયા બાદ ઉપલેટા પહોંચ્યા છે હજુ બાર થી તેર હજાર કિલોમીટર ની યાત્રા અને અંદાજે દસ વર્ષ સુધી આ દંડવત્ યાત્રા ચાલુ રહેશે અને દરેક તીર્થ સ્થાન પર આ જ રીતે ભ્રમણ કરી હજજારો કી. મી. યાત્રા વર્ષો સુઘી સરું રાખી લોકોનો પ્રેરણા આપસે તેવું પણ તેમણે જણાવ્યુ હતું
બાઈટ:- નરેશ ગંગવાર (દંડવત્ યાત્રા કરનાર)
રિપોર્ટર:- ભાવેશ ગોહિલ
ઉપલેટા:——–///////