ઉના ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટના મા મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ
ઉના ખાતે ભાવનગર રોડ પર આવેલી સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે સ્વામી માધવપ્રિયદાસજી તથા શાળા પરિવાર દ્રારા અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના મા મૃત્યુ પામેલા મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જે મા ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તથા જીલ્લા ભાજપ ના રાજુભાઇ ડાભી તથા શાળા પરિવાર ના મુકેશભાઇ જોષી તથા શાળા ના વિધાર્થી ઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
આ તકે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી સાથે સાથે ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ના કાર્યકાળ દરમિયાન કરેલા કામો ને યાદ કરી સવિશેષ શ્રધ્ધાંજલિ આપતા ભાવવિભોર બની ગયા હતા
આ શ્રધ્ધાંજલિ અર્પણ કરી સાથે સાથે શાળાના શિક્ષકો તથા વિધાર્થીઓ ભજન કીર્તન સ્તવન પણ કરેલ હતુ. બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના