ઉના તાલુકાના દેલવાડા ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના એ.ટી.એમ.કેન્દ્ર ને લાગયા અલીગઢ તાળા
ઉના તાલુકાના દેલવાડા ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા ની નજીક મા જ એ.ટી.એમ. કેન્દ્ર આવેલું છે દેલવાડા ગામ પ્રવાશન સ્થળ દિવ અને ઉના વચ્ચે નુ ગામ છે આ ગામ નેશનલ હાઇવે ઉપર નુ ગામ છે 16500 ની વસ્તી ધરાવતા ગામ મા વિવિધ સુવિધાઓ સભર ગામ છે પરંતુ ખાટલે મોટી ખોટ છે કે આ ગામમાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નુ એ.ટી.એમ. કેન્દ્ર ઘણા સમયથી બંધ હાલતમાં છે દિવસે શટર ડાઉન હોય છે તો રાત્રે અર્ધ ડાઉન હોય છે આ ગામ ના વેપારી તથા વિધાર્થીઓ તથા દિવ આવતા પ્રવાસીઓ માટે આ એ.ટી.એમ. કેન્દ્ર સુવિધા જનક હતુ પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ એ.ટી.એમ. કેન્દ્ર બંધ હાલતમાં હોય લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે નજીક માં 6 કિલોમીટર ઉના અથવા 13 કિલોમીટર દિવ એ.ટી.એમ. કેન્દ્ર હોય લોકો ને બેન્ક અવર સમય મા કેશ માટે દુર દુર સુધી ધક્કો થાય છે
જ્યારે લોક માગણી ઉઠી છે કે દેલવાડા ગામે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નુ એ.ટી.એમ. કેન્દ્ર છેલ્લા ૭ મહિના થી બંદ છે તો વહેલી તકે ચાલુ કરવા મા આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ……. રમેશભાઇ વંશ ઉના