>
Wednesday, June 25, 2025

વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઐતિહાસિક વિજય..

વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઐતિહાસિક વિજય..

ઈડર શહેરમાં ગોપાલ ઇટાલિયા ની જીત ની આપ પાર્ટીના કાર્યકરો દ્વારા ધૂમધામથી ઉજવણી..

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,000 મતોના વિશાળ અંતરથી હરાવી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ જીતની ખુશીમાં ઇડર ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ત્રિરંગા સર્કલ ખાતે ભવ્ય ઉજવણી કરી.
આ પ્રસંગે ઇડર/વડાલી વિધાનસભાના પ્રભારી શ્રી જયંતીભાઈ પ્રણામીએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ઈડરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે, વિસાવદરના નીડર નેતા ગોપાલ ઇટાલિયાની જીતની ઉજવણીમાં ફટાકડા ફોડી આતશબાજી કરી અને મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી.
*નેતાઓના નિવેદનો* :
૧) જયંતીભાઈ પ્રણામી (ઇડર વિધાનસભા પ્રભારી): “વિસાવદરની જનતાએ ભાજપનો ઘમંડ તોડી દીધો છે. આ જીત ગોપાલભાઈ ઇટાલિયાની નથી, પરંતુ વિસાવદરની જનતાનો સ્પષ્ટ સંદેશ છે કે તેઓ ભ્રષ્ટ શાસનને હવે સહન નહીં કરે. ગુજરાતની જનતા જાગૃત થઈ ચૂકી છે.”
૨) સંજયભાઈ પટેલ (ઇડર તાલુકા પ્રમુખ): “આ જીત ખેડૂતોની જીત છે. વિસાવદરની જનતાએ ભાજપને હરાવી બતાવ્યું કે ગુજરાતની પ્રજા હવે બદલાવ ઇચ્છે છે.”
૩) અલ્પેશ પારેખ (સાબરકાંઠા યુવા પ્રમુખ): “ગુજરાતની જનતા હવે જાગૃત થઈ છે અને ભ્રષ્ટ શાસનના મૂળ ઉખાડી ફેંકવા કટિબદ્ધ છે. આ જીત ગોપાલભાઈના નેતૃત્વ અને જનતાની શક્તિનું પરિણામ છે.”
૪) ડી.વી.ગઢવી (સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ જોઇન્ટ સેક્રેટરી): “આ જીત ગોપાલભાઈ ઇટાલિયાની નથી, પરંતુ વિસાવદરની જનતાનો લોકશાહીનો સંદેશ છે. ગુજરાતની જનતા ભાજપના ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવા તૈયાર છે.”
૫) શ્રી વિઠ્ઠલભાઈ વણકર-આમ આદમી પાર્ટી જિલ્લા વરિષ્ઠ કાર્યકરશ્રી : “વિસાવદરની જનતાએ ગુજરાતની પ્રજાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભ્રષ્ટાચાર, જૂઠાણાં અને પાખંડ હવે સહન નહીં થાય. આ જીત ઇમાનદાર રાજનીતિની જીત છે.”
૬) શ્રી જગદીશભાઈ વણકર (વડાલી શહેર પ્રમુખ તથા ઇડર વિધાનસભા સહ પ્રભારી): આ જીત ગોપાલભાઈના નેતૃત્વ અને જનતાની શક્તિનું પરિણામ છે.”
૭) લીલાબેન પરમાર (ઇડર/વડાલી મહિલા પ્રમુખ): જનતા 30 વર્ષના કુશાસનથી કંટાળી ચૂકી છે. ગુજરાત હવે બદલાવ માગે છે.”
ઉજવણીમાં સામેલ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ:
આ ઉજવણીમાં શ્રી કરશનજી ઠાકોર (જિલ્લા OBC પ્રમુખ), શ્રી અજયભાઈ પરમાર, શ્રી ચેતનભાઈ પરમાર (ઇડર શહેર પ્રમુખ), શ્રી મેહુલભાઈ પરમાર, શ્રી જીતુભાઈ પરમાર, શ્રી સંજયભાઈ પરમાર, શ્રી અજહર ભાઈ સહિત અનેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ ભાગ લીધો. સૌએ વિસાવદરના મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો અને ગોપાલ ઇટાલિયાના વિજયની ધૂમધામથી ઉજવણી કરી.
વિસાવદરની જીતનું મહત્ત્વ
આ જીતને ગુજરાતના રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહત્વની ગણાવવામાં આવી છે. વિસાવદરની જનતાએ ભાજપના લાંબા શાસન સામે બદલાવનો સંદેશ આપ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે X પર પોસ્ટ કરીને જણાવ્યું, “ગુજરાતમાં ભાજપ સત્તા, પૈસા અને દરેક તરકીબનો ઉપયોગ કરે છે, પરંતુ વિસાવદરમાં AAPની ડબલ માર્જિનથી જીત બતાવે છે કે જનતા 30 વર્ષના કુશાસનથી કંટાળી ચૂકી છે. ગુજરાત હવે બદલાવના માર્ગે છે.”
આમ આદમી પાર્ટીએ આ જીતને “કામની રાજનીતિ”ની જીત ગણાવી અને વિસાવદરના મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો. આ જીત ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક લાવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores