*અહેવાલ શૈલેષ ભાઈ સી ઠાકોર*
તાલુકાના મોરીખા ગામે અતિવૃષ્ટિના કારણે આ ગામ વારંવાર વરસાદી પાણીથી ગામ તળ આખું ડુબમાં જાય છે પરિણામે ગામના તમામ પરિવારોને સ્થળાંતર કરવું પડે છે આજે સ્કૂલમાં તમામ પરિવારોની મુલાકાત લીધી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે સ્થળ ઉપર જઈને શિવ મંદિરની પાછળ બનાવેલ દિવાલ તોડવા માટે ગામના યુવાનોને જવાબદારી સોંપી જેસીબી તેમજ અન્ય મશીનરી ત્યાં જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ગામના સરપંચ તેમજ ગામના યુવાનો સાથે કેપી ગઢવી સાહેબ અને અમો સૌએ પાંચ ફૂટ પાણીમાં ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું !
આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં મીડિયા કે વહીવટી તંત્રએ આ ગામની મુલાકાત લીધી નથી અને પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી!