>
Thursday, September 18, 2025

ઉના તાલુકાના વાજડી ગામ ના રમેશભાઇ નંદવાણાં ગામ ના બે દિકરીઓ અને એક દિકરા ની ફરી અમદાવાદ ખાતે થસે સારવાર 

ઉના તાલુકાના વાજડી ગામ ના રમેશભાઇ નંદવાણાં ગામ ના બે દિકરીઓ અને એક દિકરા ની ફરી અમદાવાદ ખાતે થસે સારવાર

ઉના તાલુકાના વાજડી ગામ એ સુમો બેબી સમાચાર સને 2015 મા પ્રકાશ મા આવેલ ત્યારે તે સમય ના મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ એ આ બાળકો ને સરકાર દ્વારા દત્તક લીધી હતા અને એ વખતે વિવિધ પ્રકારની સારવાર અમદાવાદ ખાતે આપવા મા આવેલ અને આ સુમો બેબી બાળકો ને સારવાર બાદ ઓવર વેઇટ અને ભોજન ક્ષમતા મા ઘણો ફેરફાર અને ફાયદો થયો હતો આ બાળકો ને સારવાર પણ મળી રહેતી હતી પરંતુ ધીમે ધીમે સમય ની સાથે સાથે સરકારો પણ બદલી શાશકો બદલાયા અને આ સુમો બેબી ને દત્તક લીધા ની વાત પણ વિસરાય ગય

આમ સરકાર દ્વારા આ દતક બાળકો વિસરાયા પછી રમેશભાઇ નંદવાણાં પોતે ગરીબ પરિવાર ના હોય બાળકો ની સારવાર કરી શકાય એવી એમની કોઈ ત્રેવડ ના રહેતા વળી આ 3 બાળકો 16 વ્યક્તિ નુ ભોજન જમી જતા હતા એટલે રમેશભાઇ નંદવાણાં ની નબળી આર્થિક સ્થિતિ મા એક સાધતા તેર તુટે એવી પરિસ્થિતિ ઉભી થઈ

ત્યારે આ બાબત ફરી થી પ્રકાસિત થતાં તંત્ર સફાળુ જાગ્યું હોય એમ આરોગ્ય વિભાગ તથા શિક્ષણ વિભાગ દ્વારા આ બાળકો ને ફરી અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અમદાવાદ ખાતે આ સુમો બેબી બાળકો ના વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવસે અને ત્યારબાદ જરુરી તમામ સારવાર આપવામાં આવસે હાલ એવા વાવડ મળેલ છે કે સરકાર દ્વારા આ બાળકો ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores