ઉના તાલુકાના માણેકપુર ગામે SIR ની કામગીરી મા બીએલઓ સાથે જન પ્રતિનિધિ ઓ જોડાયા
ઉના તાલુકાના માણેકપુર ગામ એટલે છેવાડાનું ગામ છે ગામ નો મુખ્ય વ્યવસાય માછીમારી સાથે ખેતી અને પશુપાલન નો છે હાલ મા ચાલી રહેલ મતદાર સુધારણા કાર્યક્રમ મા બીએલઓ ને મદદરૂપ થવા ના હેતુ થી અને સો ટકા કામગીરી થાય એવા આશયથી ઉના તાલુકા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ શ્રી ભરતભાઇ રાઠોડ તથા માણેકપુર ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી લાખાભાઇ રાઠોડ સહિત ના આગેવાનો એ ખાસ ઉપસ્થિત રહી બીએલઓ સાથે ઘરે ઘરે ફરીને તથા શાળા માં સાથે બેસીને કામગીરી પુર્ણ થાય એવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે
માણેકપુર ગામ મા સો ટકા કામગીરી થાય એ હેતુથી આ બંને જન પ્રતિનિધિ ઓ હાલ તો કમર કસી રહ્યા છે સાથે સાથે મરણ ગયેલા મતદારો હોય કે સ્થળાંતરિત મતદાર માટે ખાસ મહેનત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના








Total Users : 152098
Views Today : 