આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા હિંમતનગર શહેરમાં ઠેર ઠેર જગ્યાએ કન્યા પૂજન કરવામાં આવ્યું..
સમાજ માં ઠેર ઠેર આજે લવ જેહાદ બળાત્કાર ની ધટનાઓ બની રહી છે તેમાં જાગ્રૃતી આવે અને દિકરી ની રક્ષા, દિકરીનુ માન સન્માન એની સુરક્ષા એ આપણી ફરજ છે એવો ભાવ સમાજ માં જાગ્રૃત થાય એ હેતુ થી દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંમતનગર શહેર માં એકમ થી નોમ સુધી કન્યા પૂજન નું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં હિંમતનગર શહેર ના અલગ અલગ વિસ્તારના ગંગોત્રી સોસાયટી, રામનગર સોસાયટી, શાંતિનગર સોસાયટી, રણકાર પાર્ટી પ્લોટ, માં નો માંડવો પાર્ટી પ્લોટ, રંગતાળી પાર્ટી પ્લોટ, સૂર્યોદય પાર્ટી પ્લોટ, બ્રહ્માણીનગર અંબિકા મંડળ, વિરાટનગર સોસાયટી, નવાગામ, શક્તિનગર મહાકાળી મંદિર, પંચદેવ મંદિર મહાવીરનગર વગેરે જગ્યાઓ પર કુલ ૬૨૩ દીકરીઓનું કન્યાઓ નું પૂજન કરવામાં આવ્યું હતું…
આ દિકરીઓને હિંમતનગર શહેરના અગ્રણી દાનવીર વેપારી શ્રી કોટડીયા બ્રધર્સ દ્વારા દીકરીઓને ભેટ રૂપે સ્ટેશનરી કીટ આપવામાં આવી…જેમાં સ્થાનિક ટ્રસ્ટીઓ, પ્રમુખ, યુવાનો, બહેનો ભાઈઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…
આ કાર્યક્રમ નુ સફળ આયોજન દરમિયાન દસ દિવસ સુધી દરરોજ કનકસિંહ ઝાલા, જગતસિંહ પરમાર, સુરેશભાઈ માલવિયા, અતુલભાઈ મકવાણા, દિનેશભાઈ સોનગરા, સંપતસિહ રાજપુરોહિત, સુનિલભાઈ શાહ, અનિલભાઈ વણઝારા, મયુરભાઈ ચૌહાણ , મુકેશભાઈ મોદી, શૈલેષગિરી ગોસ્વામી, ચિન્મયભાઈ સોની , યશભાઈ દોશી, યક્ષભાઈ બ્રહ્મભટ્ટ, સૂરજભાઈ વણઝારા, અરુણભાઈ વણઝારા, પ્રતીકભાઈ સોની , પ્રતીકભાઈ રાવલ, ઋત્વિકભાઇ વણઝારા, વગેરે પદાધિકારીઓ દ્વારા ખૂબ મેહનત કરીને દરેક જગ્યાઓ પર કન્યા પૂજન ની વ્યવસ્થાઓ કરી સફળ આયોજન કરવામાં આવ્યું હતું…
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી
મો.8780638478