આજે ભાજપા પાટણ લોકસભા પ્રભારી શ્રી અશોકભાઈ જોષી ના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામે સોશિયલ મીડિયા સાબરકાંઠા દ્વારા આંખો ના રોગનું મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકા ના બારેજા ગામ ની સેવા ભાવિ સંસ્થા સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અંધજન મંડળના સહિયોગ થી યોજાયેલ નેત્ર રોગ નિદાન કેમ્પમાં ૪૦૯ જેટલા દર્દીઓએ આંખની તપાસ તેમજ દવાઓ નિશુલ્ક આપી.

જેમાં થી ૫૬ જેટલા દર્દીઓને મોતિયા ના ઓપરેશન ની જરૂરિયાત જાણતા નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ વિશેષ બસ માં વાત્રક ખાતે આવતીકાલે લઇ જવામાં આવશે જ્યાં તેમનું ઓપરેશન પણ નિશુલ્ક કરી આપવામાં આવશે અને ત્યાર પછી એ જ બસ માં ગલોડિયા ખાતે પરત તેમના ગામે મૂકી દેવામાં આવશે. સહયોગ સહકાર આપવા માટે આવેલ સંસ્થાના ડોક્ટરો તેમજ ગામના યુવાનો વડીલો નો આભાર વ્યક્ત કર્યો

આ પ્રસંગે ખેડબ્રહ્મા વિધાનસભા તેમજ વડાલી શહેર સોશ્યલ મીડિયાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 160204
Views Today : 