Wednesday, October 23, 2024

આજે ભાજપા પાટણ લોકસભા પ્રભારી શ્રી અશોકભાઈ જોષી ના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામે સોશિયલ મીડિયા સાબરકાંઠા દ્વારા આંખો ના રોગનું મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

આજે ભાજપા પાટણ લોકસભા પ્રભારી શ્રી અશોકભાઈ જોષી ના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામે સોશિયલ મીડિયા સાબરકાંઠા દ્વારા આંખો ના રોગનું મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

 

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકા ના બારેજા ગામ ની સેવા ભાવિ સંસ્થા સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અંધજન મંડળના સહિયોગ થી યોજાયેલ નેત્ર રોગ નિદાન કેમ્પમાં ૪૦૯ જેટલા દર્દીઓએ આંખની તપાસ તેમજ દવાઓ નિશુલ્ક આપી.

જેમાં થી ૫૬ જેટલા દર્દીઓને મોતિયા ના ઓપરેશન ની જરૂરિયાત જાણતા નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ વિશેષ બસ માં વાત્રક ખાતે આવતીકાલે લઇ જવામાં આવશે જ્યાં તેમનું ઓપરેશન પણ નિશુલ્ક કરી આપવામાં આવશે અને ત્યાર પછી એ જ બસ માં ગલોડિયા ખાતે પરત તેમના ગામે મૂકી દેવામાં આવશે. સહયોગ સહકાર આપવા માટે આવેલ સંસ્થાના ડોક્ટરો તેમજ ગામના યુવાનો વડીલો નો આભાર વ્યક્ત કર્યો

આ પ્રસંગે ખેડબ્રહ્મા વિધાનસભા તેમજ વડાલી શહેર સોશ્યલ મીડિયાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores