સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરના સ્ટેટ હાઇવે પર આવેલ શ્રી રેપડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
શ્રી રેપડી માતાજી મંદિર માં નવચંડી યજ્ઞ કારતક વધ છઠ ને રવિવારના રોજ કરવામાં આવ્યો

નવચંડી યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે પ્રજાપતિ જયંતીભાઈ વાલાભાઈ તેમજ બીજા ચાર પાટલા યજમાન તરીકે હતા
શ્રી રેપડી માતાજી મંદિરમાં નવચંડી યજ્ઞની શરૂઆત સવારે 9:00 વાગે થઈને સાંજે 5:00 વાગે પુર્ણાવતી કરવામાં આવી હતી
નવચંડી યજ્ઞ માં પ્રસાદના દાતા ચેતનકુમાર શાંતિલાલ હતા
રેપડી માતાજીના મંદિરમાં નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તેમજ આજુબાજુ ગામના લોકોએ હવનના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153958
Views Today : 