Wednesday, October 23, 2024

રબારી (જોહા) પરિવાર કુળના નકળંગ ભગવાન (ઠાકર) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ભાભર તાલુકાના વજાપુર જુના ની પવિત્ર ધન્ય ધરામાં સમસ્ત રબારી (જોહા) પરિવાર કુળના નકળંગ ભગવાન (ઠાકર) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ કાર્યક્રમ પ્રારંભ તારીખ 17/1/24 રોજ કરવામા આવ્યો હતો આવ્યો હતો સમસ્ત જોહા પરિવાર વજાપુર જુના આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધિ ગણપતિ પૂજન સ્થાપિત દેવતાઓનું અને વિધી કરવામાં આવી અને રાત્રે ભવ્ય સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તારીખ 18/1/24 ના રોજ સમસ્ત જોહા પરિવાર વજાપુર દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે નકળંગ ભગવાનની જય ઘોષ અને જય જય કાર સાથે મંદિર પ્રદિક્ષણા કરવામાં આવી અને અભિજીત મુહુર્ત નકળંગ ભગવાન ના ની નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત જોહા પરિવાર વજાપુર જુના ભારે જહેમત ઉઠાવીને નકળંગ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય શ્રી વિક્રમ દત્ત વજાપુર અને શાસ્ત્રી વિષ્ણુભાઈ દવે વજાપુર અને શાસ્ત્રી સંદીપભાઈ દવે અને શાસ્ત્રી પ્રદીપભાઈ દવે થરાદ તમામ ભૂદેવ દ્વારા વૈદિક મંત્ર ઉચ્ચાર દ્વારા સમસ્ત રબારી જોહા પરિવાર કુળ ના નકળંગ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંહત શ્રી માલદાસ બાપુ રબારી સમાજ ધર્મશાળા ઢીમા અને મહંતશ્રી રામનારાયણ મોટી પાવડ વડવાળા આશ્રમ અને ઉપસ્થિત રહીને જોહા પરીવાર ને આશીર્વાદ આપ્યા હતા અને જોહા પરિવાર સમસ્ત ભુવાજીઓ અને સમસ્ત જોહા કુળ ના બારોટ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શોભા વધારી હતી

રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores