પોળોના જંગલમાં પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

સાબરકાંઠાનુ કાશ્મીર ગણાતા પોળોના જંગલો તેના કુદરતી સૌંદર્યના કારણે ઉજવાતા પોળો ઉત્સવમાં તેમજ અન્ય દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતના અનેક લોકો આ જંગલની મુલાકાતે આવે છે. હાલના સમયમાં દર વર્ષની જેમ ખુબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં ધસારો થવાની સંભાવના છે.
આ પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે. તેમાં મોટા ભાગે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે.પોળોના જંગલોમાં પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતું નુકસાન અટકાવવા પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ હુકમ તા. ૧૯ મે ૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 153771
Views Today : 