હિંમતનગર ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું
સાબરકાંઠાના હિંમતનગર ખાતે ક્ષત્રિય સમાજનું મહા સંમેલન યોજાયું
જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં જોડાયા હતા
આ મહા સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી
સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું અસ્મિતા સંમેલન યોજાયું
જિલ્લાના અનેક ગામોમાં લાગ્યા છે રૂપાલા વિરોધી બેનરો
આ પહેલા અસ્મિતા સંમેલન ધંધુકા ખાતે યોજાયું હતું ત્યારબાદ આજે હિંમતનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો દ્વારા અસ્મિતા સંમેલન યોજાયું

લોકસભાની ચૂંટણી આવી રહી છે અને હાલમાં ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા હાલ ચાલી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ પર રાજપૂતના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણી નો વિવાદ હજુ સુધી શમ્યો નથી
પુરુષોત્તમ રૂપાલા ના વિરોધમાં યોજાઇ રહ્યું છે આ સંમેલન આજુબાજુના ગામના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં અસ્મિતા સંમેલનમાં જોવા મળ્યા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891




Total Users : 1
Views Today : 