બનાસકાંઠા,
થરાદ,
થરાદ તાલુકાના મોરીલા ગામે કૈલાશવાસ સ્વ શરૂબેન રતનપુરી ગૌસ્વામી ના સ્મણાર્થ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું,

ગૌસ્વામી સરૂબેન રતનપુરી 90 વર્ષની વયે કૈલાશ વાસ થયા હતા જે નિમિત્તે એમના દીકરા સમરતપુરી રાવતપૂરી હીરાપુરી ત્રણે દીકરાઓ દ્વારા 15 તારીખ ના દીવસે ભંડારાનું આયોજન કરાયું હતું
જેમા 26 ગામના સંતો મંન્તો અને આજુબાજુના ગામોમાંથી વડીલો હાજર રહ્યા હતા તેમજ મોરીલા ગામના ગ્રામજનો આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સંતો મંનતો ને જમાડ્યા હતા તેમજ મોરીલા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું
તેમજ સમગ્ર મોરીલા ગ્રામજનો દ્વારા (350000)ત્રણ લાખ પચાસ હજાર જેટલો મોટો ફાળો એકત્ર કરીને ભંડારા મહોત્સવમાં દાન કરવામાં આવ્યો હતો,
જેમાં અંદાજે(20000)વીસ હજાર રૂપિયાનુ નીલકંઠ ગૌશાળા મોરીલામાં નીલાઘાસ ચારા નુ દાન કરવામાં આવ્યું હતું,
પત્રકાર,, હમીરભાઇ રાજપુત થરાદ બનાસકાંઠા,,







Total Users : 145600
Views Today : 