સાબરકાંઠા જિલ્લાના કચ્છ કડવા પાટીદાર સમાજના લોકોએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી
સાબરકાંઠા જિલ્લાના કચ્છ કડવા પાટીદાર સમાજના લોકોએ મહાકુંભ માં આસ્થાની ડૂબકી લગાવી અને મહામંડલેશ્વર શાંતિદાસજી મહારાજનું અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ભંડારાની મુલાકાત લઇ પ્રભાવિત થયા અને પ્રવીણભાઈ તોગડિયા સાથે મુલાકાત કરી હિન્દુ સંસ્કૃતિના પવિત્ર મહા કુંભ જ્યારે પ્રયાગરાજ ખાતે ચાલુ છે તેમાં આજરોજ સવારના ચાર કલાકે કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો સાબરકાંઠાના વડાલી વિસ્તારના આસ્થાની ડૂબકી લગાવી પવિત્ર થયેલ અને ખૂબ જ આનંદવિભોર સાથે સમગ્ર કુંભમેળાનું નિરીક્ષણ કરેલું હતું
તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ભંડારામાં જઈ ચા નાસ્તો કરેલ અને અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ તોગડીયા સાહેબ શ્રી સાથે મુલાકાત કરી હતી અને પ્રભાવિત થયેલા હતા સાથે સાથે કચ્છના મોટી વિરાણીના 1008 મહામંડલેશ્વર શ્રી શાંતિદાસજી મહારાજ ની તાજેતરમાં કુંભ મેળામાં નિયુક્તિ થયેલ જેને બિરદાવી હતી અને આદરણીય સુરેશ દાસ બાપુ સાથે મુલાકાત કરી
ખૂબ જ તમામ ભાવિક યાત્રિકો આનંદવિભોર થયેલા હતા અને સમગ્ર હિન્દુ સમાજ માટે જાગૃતિ લાવવા તમામને અનુરોધ કર્યો હતો
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 146616
Views Today : 