Sunday, April 20, 2025

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં આદિજાતિ વિભાગની બોર્ડર વિલેઝ યોજના અંતર્ગત થયેલી કામગીરી, કૃષિ યાંત્રિકીકરણ યોજના, જળ સંચય, વન અધિકાર અધિનિયમ,વિશ્રામ ગૃહ,શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાનું પાણી પહોંચે છે કે કેમ, કેનાલની સાફ સફાઈ, રોડ રસ્તાના પ્રશ્નો જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો પદાધિકારીશ્રીઓ દ્રારા રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા તેમજ સરકારી લેણાની વસુલાત અંગે જણાવ્યું હતું. તેમજ આવનાર સંકલન બેઠકમાં વાર્ષિક આયોજન લઈ ઉપસ્થિત રહેવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં બાળલગ્ન અટકાવવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ,રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારા,હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, પ્રોબેશનર આઈએએસશ્રી રોહિતભાઈ ડોડીયા,નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, પ્રાયોજના વહીવટદારશ્રી,તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores