>
Wednesday, August 27, 2025

વડાલીમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ત્રિ દિવસીય પારાયણનું સમાપન કરાવ્યું 

વડાલીમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ત્રિ દિવસીય પારાયણનું સમાપન કરાવ્યું

 

વડાલી શહેરમાં સહકારી જીન રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 24/7/2025 થી 26/ 7/ 2025 એમ ત્રણ દિવસ સુધી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાત્રે પારાયણનું ભવ્ય આયોજન કરાયું હતું

 

સ્વામિનારાયણ મંદિરમાં પારાયણમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ આજુબાજુ ગામડાના હરિભક્તોએ પૂજામાં બેસવાનો લાભ લીધો હતો

 

સ્વામિનારાયણ મંદિરમાં પારાયણમાં ત્રણ સંતો પધાર્યા હતા જેમાં સારંગપુર થી કેસર પ્રેમ સ્વામી અને નિર્દોષ પુરુષ સ્વામી તેમજ અમૃત મુની સ્વામી પધાર્યા હતા

 

ત્રિ દિવસીય પારાયણમાં કેસર પ્રેમ સ્વામી એ અને નિર્દોષ પુરુષ સ્વામીએ હરિભક્તોને કથા વાર્તાનું સરસ રસપાન કરાવ્યું હતું

 

સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસમાં ત્રિ દિવસીય પારાયણ પૂર્ણ થયા બાદ હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores