>
Wednesday, August 27, 2025

હિંમતનગરમાં ધી કણૉવતી કો.ઓ. બેંક લિ. ની 9 મી શાખાનું ઉદ્ઘાટન કરાયું

હિંમતનગરમાં ધી કણૉવતી કો.ઓ. બેંક લિ. ની 9 મી શાખાનું ઉદ્ઘાટન કરાયું

 

ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવડાવ્યો

 

 

તા. 27 ઓગસ્ટ 2025, બુધવારના દિવસે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર હિંમતનગર શહેરને એક નવો માઈલસ્ટોન પ્રાપ્ત થયો. ધી કણૉવતી કો-ઓપરેટિવ બેંક લિ. ની નવમી શાખાનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ નવી શાખાના આરંભથી હિંમતનગરના નાગરિકોને વધુ સુવિધાઓ સાથે બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ થશે.

શુભારંભ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઈ ઉપસ્થિત રહ્યા. તેમણે શાખા ઉદ્ઘાટન બાદ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં પર્યાવરણ જાળવણી વિષયે અગત્યની વાતો રજૂ કરી. જીતુભાઈએ કહ્યું કે, “બેંકિંગ અને વિકાસ સાથે સાથે પર્યાવરણની સુરક્ષા એ આજના સમયની પ્રથમ આવશ્યકતા છે. હરિયાળું જીવન અપનાવ્યા વિના પ્રગતિ અધૂરી છે.”

 

આ પ્રસંગે જીતુભાઈએ પોતાની સંસ્થા “ગ્રીન ગ્લોબલ બ્રિગેડ” ની મહત્વપૂર્ણ પહેલની જાણકારી આપી. તેમણે હાજર મહેમાનો, નાગરિકો અને અગ્રણીઓને આ સંસ્થા દ્વારા ઘડાયેલા પાંચ નિયમોની શપથ લેવડાવી. શપથ દ્વારા સૌએ વૃક્ષારોપણ, પાણીનું સંરક્ષણ, પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ, પ્રકૃતિ પ્રત્યે સન્માન અને આવતી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાના સંકલ્પ લીધા.

શાખાના ઉદ્ઘાટન સમારંભમાં હિંમતનગરના અગ્રણીઓ, સ્થાનિક પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ બેંકના નવા પ્રારંભ પર આનંદ વ્યક્ત કર્યો અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

 

ધી કણૉવતી કો.ઓ. બેંક લિ. દ્વારા નવમી શાખાનું ઉદ્ઘાટન માત્ર બેંકિંગ ક્ષેત્રમાં જ નહીં પરંતુ પર્યાવરણ જાગૃતિની દિશામાં પણ મહત્વપૂર્ણ સંદેશ આપી ગયું છે.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores