>
Wednesday, September 3, 2025

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પોલીસ મુખ્ય કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું*

*ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પોલીસ મુખ્ય કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું*

 

*ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી: ભાદરવી પૂનમ મેળો નિર્વિધ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી*

 

માહિતી બ્યુરો, પાલનપુર

તા.૦૨/૦૯/૨૦૨૫

 

 

રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહામેળા ના બીજા દિવસે અંબાજી પધાર્યા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ અંબાજીમાં વિવિધ સેવાકેમ્પ ની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

 

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેમજ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. એ.આઇ ટેક્નોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃતિઓ પર બાઝ નજર અને મેળામાં દરેક યાત્રિક ભય વિના હરિ ફરી શકે અને નિર્ભય બની દર્શન કરી શકે એ વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજ્યસભાના સાંસદ શ્રી મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિધ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.

 

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓને બિરદાવી ટીમ બનાસ અને સેવા કૅમ્પોના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores