>
Monday, October 27, 2025

ઉના તાલુકા નુ ખત્રિવાડા ગામ રોડ માર્ગે થી થયું સંપર્ક વગર નુ 

ઉના તાલુકા નુ ખત્રિવાડા ગામ રોડ માર્ગે થી થયું સંપર્ક વગર નુ

ઉના શહેર અને તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક થી પડી રહેલા કમોસમી ભારે વરસાદ ને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે આજરોજ ઉના તાલુકાના છેવાડાનું ગામ એટલે કે ખત્રીવાડા ગામ ની ભૌગોલિક સ્થિતિ મુજબ રુપેણ અને માલણ નદી થી ઘેરાયેલું ગામ છે

શાણા ડુંગર ઉપર થયેલા ભારે વરસાદને કારણે માલણ નદી માં ઘોડાપૂર આવ્યું છે જેના કારણે ખત્રીવાડા ગામ સડક માર્ગે થી વિખુટુ પડી જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે જ્યારે ગામ ના સરપંચ શ્રી જે કે શિયાળ દ્રારા તાત્કાલિક જે સી બી દ્રારા વાહન વ્યવહાર ચાલુ થય શકે એ માટે જહેમત ઉઠાવી છે સ્થાનિક રહીશો અને યુવાનો પણ સાથે જોડાયેલા છે

જ્યારે નવા જુના ખત્રીવાડા ગામ ની વચ્ચે થી પસાર થતી આ નદી એ બંને ગામો ના આવવા જવા માટે નો રસ્તો સંપૂર્ણ પણે બંધ થયો છે હાલ તો સરપંચ શ્રી જે કે શિયાળ દ્રારા સડક માર્ગ પર આવેલા નાળા જે સી બી દ્રારા સફાઇ કરાવાની કામગીરી હાથ ધરી છે જેને કારણે પાણી ઓસરી શકે નવા જુના ખત્રીવાડા ગામ ના લોકો એવું ઇચ્છે છે કે બને ગામ ની વચ્ચે નદી ઉપર કોઝવે કમ પુલ બનાવવામાં આવે તો નદી માં આવતા ઘોડાપૂર થી પડતી અગવડતા નો અંત

આવે અને કોઝવે કમ ચેકડેમ બને તો પાણી નો સંગ્રહ પણ થય શકે સાથે સાથે અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસું વિદાય થય ગયુ પછી દિવાળી પર્વ પછી લાભ પાંચમ ના વરસેલા કમોસમી વરસાદથી નદી માં ઘોડાપૂર આવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores