સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ધોલીવાવ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં મહત્વના અગ્નિઅસ્ત્ર વિષે માહિતી અપાઈ
સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે વિવિધ તાલીમો થકી પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અભિયાન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત બાયફ સંસ્થા અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે વિજયનગર તાલુકાના ધોલીવાવ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીમાં મહત્વના અગ્નિઅસ્ત્ર વિષે થીયોરિકલ અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સાથે જ આસપાસના ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જણાવવામાં આવ્યુ હતુ.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 