ઈડર ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મકાન બનાવી આપ્યા બાદ હવે દર મહિને ઘરનું કરીયાણું આવવાનો નિર્ધાર કરાયો.
ઈડર જીવદયા ટીમ દ્વારા જરુરીયાતમંદ લોકોને મકાન બનાવી આપ્યા બાદ હવે દર મહિને કરીયાણું આપવાનો નિર્ધાર કરાયો છે ટીમના પ્રમુખ ઉપેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા દેધરોટા જે મકાન બનાવી આપ્યું હતું એ રાવળ પરિવાર ને વિપુલભાઈ લોનવાલા તરફથી દર બે મહિને કરીયાણું આપવામાં આવે છે અને આગામી સમય માં જીવદયા ટીમ તરફથી જે નિરાધાર પરિવાર નું મકાન બનાવવામાં આવશે એ પરિવાર ને પણ વિપુલભાઈ લોનવાલા તરફથી કરીયાણું આપવામાં આવશે.નિરાધાર અને જરુરિયાત મંદોને આમ ઘર અને નિભાવ માટે આ ટીમ અને વિપુલભાઈ લોનવલા આગળ આવતાં લોકોમાં આ સેવા કાર્યની ખુબ પ્રશંસા થઈ રહી છે.
રિપોર્ટ – સંજય ગાંધી સાબરકાંઠા 9998829887




Total Users : 1
Views Today : 