Monday, April 7, 2025

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ

 

ખેડબ્રહ્મા નગરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિર ખાતે આગામી ચૈત્રી નવરાત્રી પૂર્વે તેની તૈયારીઓના ભાગરૂપે મંદિરમાં સાફ-સફાઈ કરીને મંદિર તેમજ પરિસરમાં કરી સુશોભિત કરાયું હતું આ ઉપરાંત મંદિર પરિસરને રંગબેરંગી રોશની થી સુશોભિત કરી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તારીખ 30 માર્ચને રવિવારના રોજ નવરાત્રીએ સવારે 8:15 કલાકથી બપોરે 12:30 કલાક સુધીના શુભ મુહૂર્તમાં માતાજીનું ઘટ સ્થાપન કરાશે નવરાત્રી દરમિયાન આરતી મંડળ દ્વારા ૮ થી ૯ વાગ્યા સુધી ગરબાનું વિશેષ આયોજન કરાયું છે તારીખ 5 એપ્રિલના રોજ દુર્ગાષ્ટમી આઠમના હોવાને કારણે તે દિવસે સવારે 10:30 કલાકે હવન શરૂ થઈ સાંજે 4:30 કલાકે પૂર્ણાહુતિ થશે ચૈત્રી માસની પૂનમ 12 એપ્રિલની શનિવાર આવતી હોવાથી તે દિવસે સવારે 6:00 કલાકે મંગળા આરતી કરવામાં આવશે સવારે 5 50 થી રાત્રે 9 કલાક સુધી મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે તેવું મંદિરના મેનેજર દિલીપસિંહ કુંભાવતી જણાવ્યું હતું

 

તસવીર અહેવાલ . વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores