>
Thursday, June 5, 2025

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના રોજગારી ની જીવાદોરી સમાન મત્સ્યોધ્યોગ મરણતોલ હાલતમાં 

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના રોજગારી ની જીવાદોરી સમાન મત્સ્યોધ્યોગ મરણતોલ હાલતમાં

ઉના તાલુકા નુ સૈયર રાજપરા ગામ દરિયા કિનારે આવેલું ગામ છે આ ગામમાં નાની મોટી અંદાજે 550 ઉપરાંત ફિશીંગ બોટો છે ગામ માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા છે રાજપરા ગામ તથા ઉના તાલુકા ના મોટા ભાગ ની વસ્તી ને રોજગારી પુરૂ પાડતુ આ મત્સ્ય ઉતરાણ બંદર છે

હાલ માછીમારી વી સિઝન પુર્ણ થયેલ છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી વરસે વરસે માછીમાર વ્યવસાય ભાગતો જાય છે વરસ દરમિયાન આવતા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે દિવસો સુધી માછીમારો દરિયામાં જય શકતા નથી અને કમોસમી વરસાદ ને કારણે માછલી સુકવણી મા લાખો રૂપિયા ની નુકસાની માછીમારો ને વેઠવી પડે છે જેમ કે આ વર્ષે સને 2024/25 ની માછીમાર સિઝન ની વાત કરીએ તો 31/8/2024 ના રોજ માછીમારી સિઝન 15 દિવસ મોડી શરૂ કરી હતી એમાય વાતાવરણ બગડે એટલે ફિશરીઝ વિભાગ દ્વારા ફિશીંગ મા રહેલી બોટો ને પરત કિનારે બોલાવી લેવામાં આવે ટોકન આપવા નુ બંધ કરી દેવામાં આવે અને દિવસો સુધી માછીમારો પોતાની બોટ ને કિનારે રાખવા મજબુર બને છે આમ અવારનવાર પુરી મૌસમ દરમિયાન લગભગ 5/6 વાવાઝોડા જેવા બનાવો બને અને માછીમારો ને નુકસાની વેઠવી પડે છે સાથે સાથે કિનારે આવેલા માછલી સુકવણી કેન્દ્ર પર કમોસમી વરસાદ પડવાથી સુકવણી માટે ની માછલી નાશ પામે છે અને વેપારીઓ ને પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે હાલ મા ઓપરેશન સિંદુર અને સંભવિત વાવાઝોડા ને કારણે માછિમારો ને દરિયા માંથી પરત કિનારે બોલાવી લેવામાં આવ્યા હતા જેથી માછીમારો ને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેમજ ડિઝલ ની વાત કરીએ તો ડિઝલ ના ભાવ વધુ હોય ત્યારે મોઘુ ડિઝલ ખરિદવુ પડે છે પણ ભાવ ઘટાડો થાય તો પણ માછીમાર ને એજ ભાવે મળે છે ત્યારે કન્ઝ્યુમર અને રિટેલર ની વ્યાખ્યા ને કારણે માછીમારો ને મોંઘુ ડિઝલ ખરીદવા મજબુર બને છે આ કારણોસર માછીમારોને આર્થિક નુકસાની વેઠવી પડે છે જ્યારે હાલ મા થયેલી મોંઘવારી ની ગણતરી એ બરફ ના ભાવ આસમાને પહોંચ્યા છે તો સામે રાશનપણી ના પણ ભાવ વધારો થયો હોવાથી પણ માછીમારો ને નુકસાની વેઠવી પડે છે ગ્લોબલ વોર્મિંગ અને માછીમારી ના વેકેશન ગાળા ના સમય વધઘટ ને કારણે દરિયા મા દિન પ્રતિદિન માછલી ના ઉત્પાદન મા સતત ઘટાડો થતો જાય છે છેલ્લા પાંચ વર્ષ પહેલાં 8/10 દિવસ ની ફિશીંગ કરવા મા આવતી અને 8/10 દિવસ ની ફિશીંગ દરમિયાન માછલી નો પુરતો જથ્થો મળી રહેતા પણ છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે માછલી ઉત્પાદન મા પણ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે સાથે સાથે માછલી પકડવા માટે ના આધુનિકરણ ને કારણે પણ માછીમારો ને પડ્યા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે સરકાર દ્વારા ખેડૂતોને કે.સી.સી.દ્રારા રુપિયા 3 લાખ ની વગર વ્યાજ નુ પાક ધિરાણ આપવામાં આવે છે જ્યારે જાન ના જોખમે દરિયા મા ફિશીંગ કરતા માછીમારો ને માત્ર 2 લાખ રૂપિયા નુ જ ધિરાણ આપવામાં આવે છે ત્યારે આ ધિરાણ વધારો કરી 5 લાખ રૂપિયા વગર વ્યાજે આપવુ જોઈએ એવો સુર પણ માછીમારો મા જોવા મળે છે

ગત દિવસો દરમિયાન ઓપરેશન સિંદુર અને સંભવિત વાવાઝોડા ને કારણે આ વરસ ની મોસમ 1 મહિનો વહેલી પુર્ણ કરી દેવામાં આવી છે જેના કારણે સૈયદ રાજપરા જેવા નાના બંદરો ને પડ્યા ઉપર પાટું સમાન સહન કરવાનો વારો આવ્યો છે છેલ્લા 5 વર્ષ ની સામે સને 2024/25 ની મોસમ સૌથી નબળી રહ્યા નો માછીમાર સમાજ ના લોકો દાવો કરે છે વળી સૈયદ રાજપરા મત્સ્ય ઉતરાણ બંદર હોય આ બંદર પર તાજી અને સુકી બની માછલી નુ મોટુ હબ હોવા છતાં માછલી ઉતરાણ માટે કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નથી નથી જેટી કે નથી બોટ પ્લેટફોર્મ કે બોટ માંથી સિધી જ માછલી કોલ્ડ સ્ટોરેજ મા જય શકે એવી કોઈ પણ પ્રકારની સુવિધાઓ ના હોવાથી માછલી ની ગુણવત્તા જાળવી મુશ્કેલ બની છે આ કારણો સર માછલી ના ભાવ જે મળવા જોઈએ એ પણ મળતા નથી આથી અહિયા ના માછીમારો ને સપ્લાય કે કમિશન એજન્ટો ને ઓછા ભાવે માછલી વેચાણ કરવી પડે છે આથી પણ મોટી આર્થિક નુકસાની વેઠવી પડે છે વળી સુકી માછલી સુકવણી કેન્દ્ર મા જેમ મોટા બંદરો પર સુવિધા ઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે એવી સુવિધાઓ નાના બંદરો પર ઉપલબ્ધ કરાવવામાં આવે તો કમોસમી વરસાદથી માછલી સુકવણી કેન્દ્ર ને થતાં નુકસાન થી બચાવી શકાય એમ છે વળી સૈયદ રાજપરા ગામે કોલ્ડ સ્ટોરેજ અને માછલી સુકવણી કેન્દ્ર ઉભા કરવામાં આવે તો લોકો ને મોટા પ્રમાણમાં રોજગારી મળી રહે અને લોકો ને રોજગારી માટે અન્ય બંદરો પર જવુ ના પડે સાથે સાથે સૈયદ રાજપરા બંદર પર મત્સ્ય ઉતરાણ માટે જેટી બનાવવા મા આવે તો ફિશીંગ બોટ ની પણ સલામતી વધી જાય અને મેન્ટેનસ ખર્ચ પણ ઓછો આવે તથા હાલ ની દરિયાઇ ખાડી ક્રિક પણ કાપ ને કારણે બુરાઇ રહી છે તો એને ઉડી ઉતારવા ની પણ તાતી જરૂરિયાત છે

આમ સૈયદ રાજપરા ગામે આવેલા મત્સ્ય ઉદ્યોગ અંગે સરકાર દ્વારા નક્કર કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આગામી વરસો મા આ બંદર આર્થિક રીતે તથા ઉધોગ રિતે પડી ભાગસે માટે માછીમાર વ્યવસાય ને જીવંત રાખવા ઠોસ પગલાં લેવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ……. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores