>
Friday, June 6, 2025

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના માણેકપુર ગામ એ સ્થાનિક પંચાયત ની ઘોર બેદરકારી આવી સામે 

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના માણેકપુર ગામ એ સ્થાનિક પંચાયત ની ઘોર બેદરકારી આવી સામે

ઉના તાલુકા ના માણેકપુર ગામ ના જાગૃત નાગરિક રાઠોડ જીકાભાઇ બોઘાભાઇ એ કરી ઉના તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારીશ્રી ને રજુઆત વાત જાણે એમ છે કે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે ઉના તાલુકા ના માણેકપુર ગામ ની ભાલિયા શેરી તથા ગણેશ નગર વિસ્તારમાં વસતા લોકો ને ગંદા પાણીના નિકાલ ના અભાવે પારાવાર હાલાકી ભોગવવી પડે છે આ ભાલિયા શેરી તથા ગણેશ નગર વિસ્તારમાં ભુગર્ભ ગટર ના અભાવે ગંદા પાણીના નિકાલ માટે ની કોઈ સુવિધા નથી આ બાબતે ગામ ના જાગૃત નાગરિક રાઠોડ જીકાભાઇ બોઘાભાઇ એ સ્થાનિક પંચાયત ના પદાધિકારી ઓને અવારનવાર રજૂઆતો કરી છતાં પણ આ ગંદા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી

Oplus_16777216

ત્યારે આ જાગૃત નાગરિક રાઠોડ જીકાભાઇ બોઘાભાઇ એ ઉના તાલુકા વિકાસ અધિકારીશ્રી ને રજુઆત પત્ર લખી એવી માગ કરી છે કે આ વિસ્તારમાં ભરાતા ગંદા પાણી ના નિકાલ માટે ભુગર્ભ ગટર ની વ્યવસ્થા કરવામાં આવે અને આગામી ચોમાસા પહેલા આ કામગીરી હાથ ધરવામાં આવે તથા આ ગંદા પાણીના નિકાલ નહીં કરવા મા આવે તો આગામી ચોમાસા દરમિયાન આ ભાલિયા શેરી તથા ગણેશ નગર વિસ્તારમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે માટે પંચાયત દ્રારા આ ગંદા પાણીના નિકાલ માટે ભુગર્ભ ગટર વ્યવસ્થા કરવામાં આવે એવો હુકમ તાલુકા વિકાસ અધિકારી દ્રારા કરવામાં આવે એવી માગણી કરી છે સાથે સાથે આ વિસ્તાર ની મુલાકાત અગાઉ તાલુકા કક્ષાએ થી અધિકારી શ્રી ઓ કરી ગયા છે સ્થાનિક પંચાયત ના પદાધિકારી ઓને આ ગંદા પાણીના નિકાલ માટે ભુગર્ભ ગટર વ્યવસ્થા કરવા માટે સુચના પણ થયેલ હોય પરંતુ સ્થાનિક પંચાયત દ્રારા આ બાબતે ઘોર બેદરકારી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે માટે આ જાગૃત નાગરિક રાઠોડ જીકાભાઇ બોઘાભાઇ એ કરેલી રજૂઆત ધ્યાને લઇ તાત્કાલિક નિકાલ કરવા મા આવે એવી માગણી કરી છે બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores