સ્વચ્છતા અભિયાનને પ્રાધાન્ય આપતા મહામંહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત..
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષારોપણમાં જોડાયા

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેસરગંજ ખાતે આજરોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવ વ્રતજી ગાંધીનગર થી હિંમતનગર ઇડર વડાલી થી કેસરગંજ સુધી એસટી લોકલ બસમાં પ્રવાસ કરી
કેસરગંજ પહોંચતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને જિલ્લા સમાહર્તા શ્રી લલિત નારાયણ શાંતુ સાહેબ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલ તેમજ જિલ્લા વહીવટી તંત્ર સાથે ઇડર વડાલી ધારાસભ્ય રમણભાઈ વોરા અને જિલ્લા પ્રમુખશ્રી કનુભાઈ સાથે આરએસએસના કાર્યકર સાથે કેસરગંજ ખાતે પહોંચેલ હતા અને વ્યક્તિગત મુલાકાત કરી રાજ્યપાલ શ્રી મહામહિમ પ્રભાવિત થયેલ હતા અને સ્વચ્છતા અભિયાનમાં દરેક સાથે જોડાઈ અને સ્વચ્છતા ના કર્મચારીઓનું પ્રોત્સાહન આપી સન્માન કરેલો હતો અને રાત્રી સભા યોજાવાની છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના કાર્યકર્તા બંધુઓ ઉપસ્થિત રહેવાના છે
આવતીકાલે શારદા વિદ્યામંદિર ખાતે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર ગોઠવેલ છે
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


