થરાદ તાલુકાના લુવાણા કળશ મુકામે ભગવાન શિવજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે સમગ્ર મફાજી પરિવાર ગ્રામજનોના સાથ સહકારથી તાજેતરમાં નવીન ઓટલાનું નુ નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાં વિદ્વાન શાસ્ત્રીજી વર્ષિલ મહારાજ ગામ તિથગામ વાવ અને સંજય દવે આસોદર શૈલેષ દવે કિશન દવે નરસિંહ દવે ઓ દ્રારા તા 3 તથા 4 નો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો કરવડ ભરતભાઈ મફાજી દિનેશભાઈ મફાજી
દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સમગ્ર ગ્રામ ના ભક્તજનો માટે ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બહોલી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામ મા ધર્મ મય માહોલ બન્યો હતો આ પ્રસંગે ગામ ના સાધુ સંતો સાથે 
કલેશહર માતાજી મંદિર પુજારી નરસીભાઈ એચ દવે એ હાજરી આપી આશિર્વચન પાઠવ્યા હતા
રીપોર્ટ નરસીભાઈ દવે લુવાણા કળશ થરાદ







Total Users : 145600
Views Today : 