*બનાસકાંઠા જિલ્લાના પેપરાલ ગામ માં પેપરાલ ના પનોતા પુત્ર ગુરુદેવ શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજ સાહેબ નાં શિષ્ય જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રી નિત્યસેનસૂરીશ્વરજી મહારાજ મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મહારાજ (નારોલીવાલા મહારાજ સાહેબ)આદિ સાધુ સાધ્વીજી મહારાજ ચોમાસા માટે 7 જુલાઈ ના રોજ ચાતુર્માસ પ્રવેશ થયો આ પ્રસંગે મધ્યપ્રદેશ રાજસ્થાન કર્ણાટક આદિ અનેક રાજ્યોમાં થી 4000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા જેમાં મધ્યપ્રદેશ નાં પુર્વ કેબીનેટ મંત્રી પારસ જૈન,ત્રિસ્તુતિક જૈન સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ વાઘજીભાઇ વોરા આદિ પણ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ગુરુ જયન્તસેનસૂરિ જન્મ ભૂમિ પેપરાલ તીર્થ તરફથી ચાતુર્માસ પ્રવેશ ની શોભાયાત્રા તેમજ ધર્મસભા સહિત અનેક કાર્યક્રમો યોજાયા
પત્રકાર હમીરભાઈ રાજપુત થરાદ,,