>
Saturday, May 17, 2025

ભગવાન જ બન્યા યમ – ખ્યાતિ હોસ્પિટલ નો થયો પર્દાફાશ,કોઈને એન્જીયોપ્લાસ્ટીની જરૂર ન હતી,આખરે ડોક્ટર ની ધરપકડ

ભગવાન જ બન્યા યમ – ખ્યાતિ હોસ્પિટલ નો થયો પર્દાફાશ,કોઈને એન્જીયોપ્લાસ્ટીની જરૂર ન હતી,આખરે ડોક્ટર ની ધરપકડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ ને લઈ સરકાર એક્શનમાં છે ડોક્ટર પ્રશાંત ની ધરપકડ કરવામાં આવી છે સરકાર તરફથી સોલા સિવિલના ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા હતા, અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ ફરિયાદમાં ડોક્ટર પ્રશાંત જીવરાણી, ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પાટોડીયા,રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપુત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.બી.એન.એસ એકટ સેક્શન ૧૦૫,૧૧૦,૩૩૬ (૨),૩૩૬ (૩) ૩૪૦ (૧),૩૪૦ (૨),૩૧૮,૬૧ કલમ હેઠળ એફ.આર.આઈ નોંધવામાં આવી છે.કડી પોલીસ સ્ટેશન માં પણ બે અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અને મૃતક દર્દીના પરિવારજનોએ ડો. પ્રશાંત વજીરાણી, ડૉ. કાર્તિક પટેલ,ડો. સંજય પાટોલીયા,રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરીયાદ દાખલ કરી છે.

અત્રે ઉલ્લેખીએ છે કે ખ્યાતિ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રદ કરી દેવાય છે તો ઓપરેશન કરનાર ડોક્ટરો પણ ઓપરેશન કરી શકશે નહીં જે સાત વ્યક્તિનું ઓપરેશન કરાયું તેમને કોઈ બ્લોકેજ ના હોવાનો પણ ખુલાસો થયો છે. તેમ છતાં ખ્યાતી હોસ્પિટલે પેપર તૈયાર કરી ૯૦ ટકા બ્લૉકેજ હોવાનું દર્શાવી ઓપરેશન કરી નાખ્યું હતું. એટલે કે ખ્યાતિ હોસ્પિટલે જે ડોક્યુમેન્ટ બનાવ્યા હતા એ તમામ ખોટા હતા આ દર્દીઓ પૈકી જે દર્દીઓના સ્ટેન્ટ મૂકવામાં આવેલ તેમની એનજીઓગ્રાફીના ફિઝિકલ ફાઇલની અંદરના રિપોર્ટ અને એનજીઓગ્રાફીની સીડીમાં પણ વિસંગતતા આવી હતી. રિપોર્ટમાં જે દર્દીની ધમનીઓ બ્લોકેજ છે તેવું બ્લોકેજ સી.ડી. માં જોવા મળ્યું નથી.સાથે જ દર્દીની એન્જીયોગ્રાફી કે એનજીઓ પ્લાસ્ટિ કરવા અંગે દર્દીને કે દર્દીના સગાને નિયમ પ્રમાણે સંમતિ પત્ર લેવાયું નહોતું. આરોગ્ય વિભાગના અગ્રસચિવે પણ કહ્યું હતું કે કોઈપણ દર્દીને એન્જીયોપ્લાસટી ની કોઈ જરૂર નહોતી ખ્યાતિ હોસ્પિટલે ૭ વ્યક્તિની એન્જીયોપ્લાસ્ટી કરી હતી. જેના પરિણામે ૭ પૈકી ૨ વ્યક્તિના મોત નિપજ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલે કડીના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યો હતો. બોરીસણા ગામમાંથી 19 જણાને બસમાં લાવી તેઓની એન્જીયોગ્રાફી જે પૈકી જેમાંથી ૭ વ્યક્તિ ની તો એન્જીયોપ્લાસ્ટી પણ કરી દીધી હતી.તેમાના ૨ વ્યક્તિ ના મોત થયા હતા.આ ધટનાને લ‌ઈને રાજ્ય સરકારે ડોક્ટરની ટીમ પાસે તપાસ કરાવી હતી જેમાં ખ્યાતિ હોસ્પિટલના કરતૂતો નો ભાંડો ફુટ્યો હતો. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે હવે ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાશે.

રિપોર્ટ – સંજય ગાંધી

 

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ ને લઈ સરકાર એક્શનમાં છે ડોક્ટર પ્રશાંત ની ધરપકડ કરવામાં આવી છે સરકાર તરફથી સોલા સિવિલના ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા હતા, અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ ફરિયાદમાં ડોક્ટર પ્રશાંત જીવરાણી, ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પાટોડીયા,રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપુત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.બી.એન.એસ એકટ સેક્શન ૧૦૫,૧૧૦,૩૩૬ (૨),૩૩૬ (૩) ૩૪૦ (૧),૩૪૦ (૨),૩૧૮,૬૧ કલમ હેઠળ એફ.આર.આઈ નોંધવામાં આવી છે.કડી પોલીસ સ્ટેશન માં પણ બે અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અને મૃતક દર્દીના પરિવારજનોએ ડો. પ્રશાંત વજીરાણી, ડૉ. કાર્તિક પટેલ,ડો. સંજય પાટોલીયા,રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરીયાદ દાખલ કરી છે.

 

અત્રે ઉલ્લેખીએ છે કે ખ્યાતિ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રદ કરી દેવાય છે તો ઓપરેશન કરનાર ડોક્ટરો પણ ઓપરેશન કરી શકશે નહીં જે સાત વ્યક્તિનું ઓપરેશન કરાયું તેમને કોઈ બ્લોકેજ ના હોવાનો પણ ખુલાસો થયો છે. તેમ છતાં ખ્યાતી હોસ્પિટલે પેપર તૈયાર કરી ૯૦ ટકા બ્લૉકેજ હોવાનું દર્શાવી ઓપરેશન કરી નાખ્યું હતું. એટલે કે ખ્યાતિ હોસ્પિટલે જે ડોક્યુમેન્ટ બનાવ્યા હતા એ તમામ ખોટા હતા આ દર્દીઓ પૈકી જે દર્દીઓના સ્ટેન્ટ મૂકવામાં આવેલ તેમની એનજીઓગ્રાફીના ફિઝિકલ ફાઇલની અંદરના રિપોર્ટ અને એનજીઓગ્રાફીની સીડીમાં પણ વિસંગતતા આવી હતી. રિપોર્ટમાં જે દર્દીની ધમનીઓ બ્લોકેજ છે તેવું બ્લોકેજ સી.ડી. માં જોવા મળ્યું નથી.સાથે જ દર્દીની એન્જીયોગ્રાફી કે એનજીઓ પ્લાસ્ટિ કરવા અંગે દર્દીને કે દર્દીના સગાને નિયમ પ્રમાણે સંમતિ પત્ર લેવાયું નહોતું. આરોગ્ય વિભાગના અગ્રસચિવે પણ કહ્યું હતું કે કોઈપણ દર્દીને એન્જીયોપ્લાસટી ની કોઈ જરૂર નહોતી ખ્યાતિ હોસ્પિટલે ૭ વ્યક્તિની એન્જીયોપ્લાસ્ટી કરી હતી. જેના પરિણામે ૭ પૈકી ૨ વ્યક્તિના મોત નિપજ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલે કડીના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યો હતો. બોરીસણા ગામમાંથી 19 જણાને બસમાં લાવી તેઓની એન્જીયોગ્રાફી જે પૈકી જેમાંથી ૭ વ્યક્તિ ની તો એન્જીયોપ્લાસ્ટી પણ કરી દીધી હતી.તેમાના ૨ વ્યક્તિ ના મોત થયા હતા.આ ધટનાને લ‌ઈને રાજ્ય સરકારે ડોક્ટરની ટીમ પાસે તપાસ કરાવી હતી જેમાં ખ્યાતિ હોસ્પિટલના કરતૂતો નો ભાંડો ફુટ્યો હતો. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે હવે ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાશે.

 

રિપોર્ટ – સંજય ગાંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores