વડાલી-ઇડર રોડ થી કેશરગંજ ગામ માટે આગામી પહેલી માર્ચ સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે
હિંમતનગર થી ખેડબ્રહ્મા પશ્ચિમ રેલવે વિભાગના LHS No.113(A), LC No. 120ના કામે તા.૦૧/૦૩/૨૦૨૫ના સવારે ૭:૦૦ કલાક સુધી હોટલ વિનાયક વડાલી- ઇડર રોડ થી કેશરગંજ ગામ સુધીનો રસ્તો બંધ કરવા અને ઇડરથી આવતા વાહનો માટે ઇડરથી કેશરગંજ ગામ અને વડાલીથી આવતા વાહનો માટે નેશનલ હાઇવે-૫૮ વડાલી થી કેશરગંજ ગામ રોડ ડાયવર્ઝન આપવા માંગણી કરેલ છે. આથી આગામી ૦૧/૦૩/૨૦૨૫ના સવારે ૭:૦૦ કલાક સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં ઇડર તરફથી આવતા વાહનોએ ઇડરથી કેશરગંજ ગામ તરફ જવાનું રહેશે.વડાલી તરફથી આવતા વાહનોએ નેશનલ હાઇવે-૫૮ વડાલી થી કેશરગંજ ગામ તરફ જવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સજા/દંડની પાત્ર થશે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891