*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*થરાદ નવી ફોર લાઈન થરાદની શોભા વધારી રહી છે ત્યારે જે.જે.હોસ્પિટલ પાસે મૂકી લો કટ કોઈ ની જિંદગી કટ કરી શકે છે.*
થરાદમાં સાચોર હાઈવેથી શીત કેન્દ્ર સુધી ફોરલાઇન રોડ બન્યો છે તેનાથી થરાદ ખૂબ જ શોભી રહ્યું છે અને થરાદની સોભામાં ચાર ચાંદ લાગ્યા છે ત્યારે જે.જે.હોસ્પિટલ પાસે મુકેલો કટ તે ક્યારેક કોઈની જિંદગી પણ કટ કરી શકે છે ત્યાં અવારનવાર એકસીડન્ટો પણ થયેલા છે અને લોક મુખે એવો પણ સાંભળવા મળેલું છે કે આ કટ કોઈ ડોક્ટર ના કહેવાથી મૂકવામાં આવેલો છે ત્યારે થરાદના જુના રસ્તાઓ બંધ કરી દીધા છે અને આ ફકત એક ડોકટરના દબાણ થી નિયમો નેવે મૂકીને પણ તંત્રએ કટ મુકેલો છે જ્યારે ગામના જુના રસ્તાઓ બંધ કરતા લોકોએ આવેદનપત્ર પણ આપ્યું હતું તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી પણ અહીં ખૂબ જ મોટો કટ મુકવાથી ભવિષ્યમાં બહુ જ મોટો એકસીડન્ટ પણ થઈ શકે તેમ છે તેમજ વચ્ચેના ભાગમાં લોકો તેમની ગાડીઓ પાર્કિંગ કરી દેતા હોય છે જેના લીધે વ્હીકલવાળાને આવતા જત સાધન દેખાશે નહીં અને તેના લીધે અહીં ક્યારેક આ કટ કોઈકની જિંદગી કટ કરશે તે ફાઇનલ છે તંત્રએ સમજવું જોઈએ કે એક ડોક્ટરના ફાયદાના લીધે કેટલાની જિંદગી તમે અહીંયા ગુમાવશો તો મહેરબાની કરીને આ કટ બંધ કરવામાં આવે તો આવનાર સમય માટે અહીં થતા એક્સિડન્ટો રોકી શકશું નહીંતર તંત્ર કે ડોક્ટરના દબાણમાં આવી ગયો હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે.
*બોક્સ….*
*ફોરલાઈન રસ્તા માટે અનેક લોકો દ્વારા માગણી કરેલી હોવા છતાં રસ્તો તંત્ર દ્વારા મુકી આપવામાં આવ્યો નથી.*
ફોરલાઈન રસ્તા વચ્ચે ભયાનક કટ જો એક વ્યક્તિના કહેવાથી તંત્ર દ્વારા મુકવામાં આવતો હોય તો ત્યાં થતાં અકસ્માત માટે જવાબદાર એ જ વ્યક્તિ રહેશે કે તંત્ર કે પછી તંત્ર દ્વારા ક્યારે થશે કટ બંધ…?