હિંમતનગર તાલુકાના રામપુરા પ્રાથમિક શાળા માં બાળકો ને અલ્પાહાર નું વિતરણ.
હિંમતનગર તાલુકાના રામપુર ખાતે આવેલ રામપુર પ્રાથમિક શાળા ના બાળકો ને ગુરુ ભક્ત કે.કે પટેલ ધ્વારા અલ્પાહાર વિતરણ કરવામાં આવ્યું.કે.કે પટેલ ગુરુ ઉપાસક તરીકે નામના મેળવી છે તેમના ગુરુ કમલેશ ગીરી ની સમાધી પણ રામપુર ખાતે આવેલ છે ગુરુ ઉપાસક તરીકે ની ભક્તિ કે.કે પટેલ ધ્વારા અવિરત ચાલુ છે પોતે બ્રહ્મચર્ય જીવન જીવી રહ્યા છે
સામાજીક, ધાર્મિક સેવા કરતા રહે છે કમલેશગીરી બાવાજી ની યાદ માં તિથી ઉજવણી કરી આનંદ પ્રાપ્ત કરે છે.
બીજાના જીવ ની ખુશી માં જ આપણું જીવન ખુશખુશાલ રહે છે – કે.કે પટેલ (ગુરુ ઉપાસક)







Total Users : 145600
Views Today : 