*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
થરાદ તાલુકાના કોચલા ગામમાં આંજણા ચૌધરી સમાજનો જીવન પર્વ
ટાટીયા પરિવારે શિક્ષણ માટે ₹21,000 અને સેવાકીય કાર્યો માટે ₹11.11 લાખનું દાન કર્યું
થરાદ તાલુકાના કોચલા ગામમાં આંજણા ચૌધરી સમાજનો જીવન પર્વ ઉત્સવ ઉજમણું ગગાથાળી પ્રસંગે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ કોચલા ગામના લક્ષ્મણભાઈ રણછોડજી ટાટીયા પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. આ અવસર પર ટાટીયા પરિવારે શિક્ષણ અને કન્યા કેળવણી માટે બનાસકાંઠા જિલ્લા મારવાડી આંજણા પટેલ બોર્ડિંગ થરાદને ₹21,000નો ચેક અર્પણ કર્યો હતો. વધુમાં, સમાજના સેવાકીય અને પ્રગતિશીલ કાર્યો માટે ₹11,11,111ની મતબર રકમનું દાન પણ કર્યું હતું.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા વાવ-થરાદના પૂર્વ ધારાસભ્ય અને સમાજના પ્રમુખ શ્રી માવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારના દાનથી સમાજ શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનશે. તેમણે ટાટીયા પરિવારની આ ઉદાર ભાવના બદલ અભિનંદન પાઠવ્યા હતા.